હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત

05:35 PM Oct 08, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ શહેર અને જિલ્લાના અનેક લોકો પરિવાર સાથે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે માદરે વતન આવતા હોય છે. ત્યારે સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન ખાસ ટ્રેન દોડાવવા સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

સુરત શહેરમાં ધંધા-રોજગારના હેતુથી સ્થાયી થયેલા ભાવનગર જિલ્લાના લગભગ 40 ટકા રત્નકલાકારો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દિવાળીના તહેવારમાં પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. આ મુસાફરોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડાં ચૂકવવા પડે છે. આ ઉપરાંત દિવાળી વેકેશન દરમિયાન સુરત-ભાવનગર માર્ગ પર ટ્રાફિક પણ રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, સુરત-ભાવનગર વચ્ચે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી વિશેષ ટ્રેન દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સુરત-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકે છે. ભાવનગર રેલવે તંત્ર દ્વારા પણ આ ટ્રેન શરૂ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું એસોના કિશોર ભટ્ટે જણાવ્યું હતું. આ પહેલથી મુસાફરોની સુવિધામાં વધારો થશે અને તહેવારોની ઉજવણી માટે વતન પરત ફરવું સરળ બનશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsproposal to run special trainSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSurat-BhavnagarTaja Samacharviral news
Advertisement
Next Article