વડાપ્રધાન મોદીએ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
- આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર રેલવે ડબલ લાઈનિંગ કામનો પ્રારંભ કરાયો,
- સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ
- રેલવેના રૂા. 23,292 કરોડના કામોના પીએમના હસ્તે લોકાર્પણ કરાયા
દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી. સાથે જ વિડિયોના માધ્યમથી આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતુ
વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. દાહોદના નવા કારખાનામાં બનેલા એન્જિન હવે D-9 લોકો મોટીવ સિરીઝના નામે ઓળખાશે. એન્જિનના ઇનોગ્રેશન માટે રેલ કારખાનામાં નવું પ્લેટફોર્મ તૈયાર કરાશે. સાઇલેન્ટ એન્જીન તરીકે ઓળખાતો નવું એન્જીન 5800 ટનની ક્ષમતાની સાથે મહત્તમ સ્પીડ 120 કિલોમીટરની હશે.
દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે. આ ઉપરાંત આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.