For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિએ પેરાગ્વેની પ્રશંસા કરી

11:57 AM Jun 04, 2025 IST | revoi editor
ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિએ પેરાગ્વેની પ્રશંસા કરી
Advertisement

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.

Advertisement

પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા પછી આતંકવાદની કડક નિંદા કરવા અને એકતાના સંદેશ આપવા બદલ તેમણે પેરાગ્વે સરકારનો આભાર માન્યો.તેમણે ઉમેર્યું કે બંને દેશો સમાન સિદ્ધાંતોમાં માને છે. બેઠક દરમિયાન, સંબંધોને વધુ ગાઢ બનાવવા બંને નેતાઓ સંમત થયા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત સંબંધોને મજબૂત બનાવવામાં અને જોડાણ માટે નવા ક્ષેત્રો ખોલવામાં મદદ કરશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement