For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રક્ષાબંધન પર્વની રાષ્ટ્રપતિ મુર્મુ અને નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

10:46 AM Aug 09, 2025 IST | revoi editor
રક્ષાબંધન પર્વની રાષ્ટ્રપતિ મુર્મુ અને નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
Advertisement

નવી દિલ્હીઃ રક્ષાબંધનનો તહેવાર સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ ખાસ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું, “તમામ દેશવાસીઓને રક્ષાબંધનની અનેકાનેક શુભેચ્છાઓ.”

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, “રક્ષાબંધનના પાવન અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. રક્ષાબંધનનો પાવન પર્વ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના અનોખા બંધનનું પ્રતિક છે. આ પર્વ સમાજમાં સૌહાર્દ અને એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. આ પ્રસંગ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નૈતિક મૂલ્યોને જાળવી રાખવાનો પણ અવસર છે. આ પર્વ મહિલાના અધિકારોની રક્ષા અને તેમના સન્માનના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.” તેમણે આગળ લખ્યું, “આ અવસર પર આવો આપણે એવો સમૃદ્ધ દેશ બાંધવાનો સંકલ્પ કરીએ, જ્યાં દરેક મહિલા સુરક્ષિત અનુભવ કરે અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે.”

આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે લખ્યું, “રક્ષાબંધનના પાવન અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ પર્વ ફક્ત રાખડીના ધાગાની પવિત્રતાનું નહીં, પણ પોતાની બહેનોના સન્માન, સુરક્ષા અને સુખ-સમૃદ્ધિના સંકલ્પનું પ્રતિક છે. ભાઈ-બહેનના સ્નેહનું પ્રતિક આ પર્વ આપણા અંદર રહેલી રક્ષા શક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવે, એવી ભગવાન પાસે પ્રાર્થના છે.”

Advertisement

કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પોસ્ટ કર્યું, “મારી પ્રિય બહેનો, તમારો પ્રેમનો દોરો જ્યારે મારી કળી પર બાંધાય છે, ત્યારે તે મને સેવાનો સંકલ્પ આપે છે. જ્યાં સુધી શ્વાસ છે, તમારા સુખ, સન્માન અને સ્મિત માટે કામ કરતો રહીશ. અને હા, આ રાખડી પર સ્વદેશીનો પણ સંકલ્પ કરીએ. તમામ ભાઈ-બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ.”

Advertisement
Tags :
Advertisement