For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું

11:42 AM Nov 22, 2025 IST | revoi editor
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું
Advertisement

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ દિવસીય આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રપતિ નિલયમ દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, કાપડ મંત્રાલય અને પર્યટન મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ લોકોને વિવિધ સ્થળોની પરંપરાગત સંસ્કૃતિ વિશે જાણવા માટે અનુરોધ કર્યો.તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, ગોવાના રાજ્યપાલ પી. આનંદ ગજપતિ રાજુ, રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કોલસા મંત્રી જી. કિશન રેડ્ડી અને અનેક રાજ્યોના મંત્રીઓ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કલા મહોત્સવ આજથી આ મહિનાની 30મી તારીખ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement