For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ બાદ હવે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા

12:25 PM Apr 09, 2025 IST | revoi editor
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ બાદ હવે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા
Advertisement

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી મોન્ટેનેગ્રો વચ્ચે ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો ઉપરાંત, વિવિધ સ્તરે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ થઈ હતી.

Advertisement

પોર્ટુગલની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગુઆટડ ઓફ ઓનર મળ્યું અને એસેમ્બલીયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કોએ પોર્ટુગલની એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કો સાથે વ્યક્તિગત મુલાકાત કરી. બંને નેતાઓએવિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ યોજાઈ. રાષ્ટ્રપતિએ ચંપાલીમો ફાઉન્ડેશનની પણ મુલાકાત લીધી અને સંશોધકો સાથે વાતચીત કરી. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ લિસ્બનમાં રાધાકૃષ્ણ મંદિરની પણ મુલાકાત લીધી.

Advertisement
Advertisement
Tags :
Advertisement