For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

04:40 PM Jun 18, 2025 IST | revoi editor
ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર કચ્છના 167 ગામોમાં અંધારપટ
Advertisement
  • 1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો,
  • ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો,
  • વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 1181 વીજ ફીડરો બંધ છે. તેમજ 23 TC ડેમેજ થઈ ગયા છે.

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને ફરિયાદો સામે આવી છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં 167 ગામોમાં 1181 ફીડર બંધ થતા વીજળી ગૂલ થઇ ગઈ હતી. વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી છે અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમા વીજપોલ ડેમેજ થઈ ગયા છે. જ્યારે 23 TC ડેમેજ થઈ ગયા છે અને 1181 ફીડર બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં વરસાદને કારણે ભાવનગરમાં 74, મોરબીમાં 26, અમરેલીમાં 20 ગામોમાં અંધારપટ છવાઇ ગયો છે.

પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ ગ્રામ્યમાં એગ્રીકલ્ચરના 90 ફીડર બંધ થઈ ગયા તો 60 વીજપોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત મોરબીમાં 26 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યારે 19 વીજપોલ ડેમેજ થયા છે. જ્યારે ભાવનગરમાં ભારે વરસાદને કારણે 74 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે, જ્યારે 174 વીજપોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત મોરબીમાં 26, જામનગરમાં 2, અંજારમાં 13, બોટાદમાં 11, અમરેલીમાં 20 અને સુરેન્દ્રનગરમાં 21 ગામોમાં વીજ પૂરવઠો ખોવાઈ ગયો છે. કુલ 167 ગામોમાં અંધારપટ છવાયો છે તો 545 વીજ પોલ ડેમેજ થયા છે. જ્યારે 23 ટિસી ડેમેજ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement