હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આંધ્રપ્રદેશમાં પોલીસે 3 માઓવાદીઓને ઠાર માર્યાં

03:06 PM Jun 18, 2025 IST | revoi editor
Advertisement

હૈદરાબાદઃ દેશમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં પોલીસે ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

આંધ્રપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે માઓવાદીઓના AOBSZC (આંધ્ર ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી) સેક્રેટરી ઉદય અને પૂર્વી ડિવિઝન સેક્રેટરી અરુણા આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) માં અન્ય એક કેડર સાથે માર્યા ગયા હતા. અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અમિત બારદારે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છ. તેમજ અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. પોલીસે આદિવાસી વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article