For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં AI ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર

05:25 PM Jun 27, 2025 IST | revoi editor
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ai ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર
Advertisement

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજા સાથે રથયાત્રા યોજાઈ હતી. દરમિયાન પોલીસ દ્વારા રથયાત્રા ઉપર એઆઈ ડ્રોન વડે નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા કરવામાં આવેલી મંગળા આરતીમાં ભક્તોને આપવમાં આવ્યો મીઢા ખીચડાનો પ્રસાદ. 6000 કિલો ખીચડાનો ભક્તોને  પ્રસાદ આપાયો હતો. સવારે 7 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. CMએ સોસાનાના સાવરણાથી કચરોવાળી રથને કરાવ્યું પ્રસ્થાન કરાવ્યું હતું. 2500 જેટલા સાધુ સંતો રથ યાત્રમાં જોડાયા હતા. તેમજ 1200 જેટલા ખલાસી ભાઈઓએ રથ ખેંચ્યો હતો.

જગન્નાથ મંદિરમાં ભાગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ત્યાર બાદ ભાઈ બલભદ્રનો રથ રખાયો છે. CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસે AI ટેકનોલોજીની લીધી મદદ હતી તેમજ AI ડ્રોનથી સતત નજર રખાઈ હતી. AI ડ્રોનની રેન્જનાં વિસ્તારમાં કેટલા લોકો ઉભા છે તેની AI ડ્રોન  માહિતી આપે છે. આ સાથે કોઈ વ્યક્તિની ઓળખ કરવી હોય તો તે પણ સરળતાથી થઈ શકે છે.

Advertisement

ભગવાના જગન્નાથની રથયાત્રામાં પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનઈચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળ્યા હતા. ભગવાનાના રથ પહોંચે તે પહેલા લોકોએ સ્વયંભૂ રસ્તાઓ ધોયા હતા. ભગવાનની રથયાત્રાને લઈને લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement