હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

03:32 PM Dec 25, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.  પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને પોષક પરિણામો અને સુખાકારીમાં સુધારો કરવાનો છે.

Advertisement

યુવા દિમાગને જોડવા, દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામાં આવશે. MyGov અને MyBharat પોર્ટલ દ્વારા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ પણ હાજર રહેશે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNEW DELHINews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesparticipatePopular NewsPrime MinisterSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharthe Veer Bal Diwas programmeviral news
Advertisement
Next Article