For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા, મૃત્યુઆંક વધવાની શકયતા

04:00 PM Jun 12, 2025 IST | revoi editor
પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા  મૃત્યુઆંક વધવાની શકયતા
Advertisement

• ઈમરજન્સી અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
• એટીએસની ટીમ તપાસમાં જોડાઈ

Advertisement

ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત આસપાસના નગરોની ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ગુજરાત ત્રાસવાદી દળની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ આરંભી હતી. બીજી તરફ ઈમરન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશની ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ અત્યાર સુધીમાં 130 જેટલા મૃતદેહ ઘટના સ્થળ પરથી મળી આવ્યાં હતા. જે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર અને ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યાં હતા. આ ઘટનામાં કોઈ આતંકવાદી કૃત્યની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ એટીએસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્લેન એક ઈમારતની પાસે ક્રેશ થયું હતું. તેમજ ત્યાં સ્થાનિક લોકો પણ હાજર હતા. આ દૂર્ઘટનામાં કેટલાક સ્થાનિકો પણ ગાયબ થયાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement