પ્લેન ક્રેશઃ એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈન નંબર જાહેર કર્યો
05:32 PM Jun 12, 2025 IST | revoi editor
Advertisement
અમદાવાદમાં પ્લેન દૂર્ઘટનાને પગલે એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈનંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં છે.
Advertisement
અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ટેકઓફ દરમિયાન જ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટમાં 230થી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. દરમિયાન અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. જેની પર તમામ જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સિવિલે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. સિવિલ હોસ્પિલ દ્વ્રારા ઈમરજન્સી નં- 6357373831, 6357373841 જાહેર કર્યાં છે. અહીંથી દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મળી રહેશે
Advertisement
Advertisement