For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

11:07 AM Dec 17, 2024 IST | revoi editor
આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Advertisement

નવી દિલ્હીઃ આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ શ્રી એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

Advertisement

પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને યાદ કર્યા હતા.

રાષ્ટ્રપતિએ વૈશ્વિક બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચેના ગાઢ સહકારની પણ નોંધ લીધી અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં આર્મેનિયાના સભ્યપદની અને ત્રણેય વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં તેની ભાગીદારીની પ્રશંસા કરી.

Advertisement

રાષ્ટ્રપતિએ વિવિધ વિકાસ ભાગીદારી કાર્યક્રમો દ્વારા આર્મેનિયામાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણીએ દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવાની અને બંને દેશો વચ્ચે ભૌતિક અને નાણાકીય જોડાણ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રપતિએ નોંધ્યું કે નિયમિત સંસદીય સંવાદ એકબીજાની શાસન પ્રણાલી અને કાયદાઓની સમજ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કહ્યું કે આર્મેનિયન સંસદીય પ્રતિનિધિમંડળની આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Advertisement
Tags :
Advertisement