હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

01:39 PM Dec 23, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી સંસદ સંકુલમાં વિપક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યો વચ્ચે તાજેતરમાં કથિત ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદોને સોમવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના પ્રતાપ સારંગી (ઉ.વ. 69) અને ઉત્તર પ્રદેશના મુકેશ રાજપૂતને 19 ડિસેમ્બરે માથામાં ઈજા સાથે સંસદમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું, "બંને સાંસદોની હાલત હવે સારી છે અને તેમને રજા આપી દેવામાં આવી છે." તેમને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને શનિવારે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સારંગી હૃદયની બીમારીથી પીડિત છે અને તેનામાં સ્ટેન્ટ લગાવવામાં આવ્યો છે. આરએમએલ હોસ્પિટલના એમએસ ડૉ. શુક્લાએ અગાઉ કહ્યું હતું કે એમઆરઆઈ અને સીટી સ્કેનમાં ઈજાઓ ગંભીર જોવા મળી નથી. ડૉ. શુક્લાના જણાવ્યા અનુસાર, જ્યારે સારંગીને લાવવામાં આવ્યો ત્યારે તેના કપાળમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું.

Advertisement

ડૉ. શુક્લાએ કહ્યું, "તેના કપાળ પર ઊંડો ઘા હતો અને અમારે ટાંકા લેવા પડ્યા હતા." તેમણે કહ્યું હતું કે, "રાજપૂતના માથામાં પણ ઈજા થઈ હતી, જે પછી તે બેભાન થઈ ગયા હતા. જોકે, સાંસદને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા. તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું.

Advertisement
Tags :
Aajna SamacharBJPBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratileavelocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavMPSNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPARLIAMENTPopular NewsRML HospitalSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharscuffle caseTaja Samacharviral news
Advertisement
Next Article