પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવ્યું : ભારત
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણોને શાંત કરવા માટે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સહમતિ સંતાઈ હતી જોકે પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક કલાકોમાં આ સંમતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન સહમતિ માટે જવાબદાર છે અને ભારતીય સેના સરહદ ઉપર નજર રાખી દીધી છે આ ઉપરાંત જવાબ આપવાની પણ ભારતીય સેના ને મંજૂરી આપી દેવામાં આવી છે તેમ પણ વિદેશ સૂચવે જણાવ્યું હતું.
આજે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ને લઈને સહમતિ સંતાઈ હતી જોકે ગણતરી આઠ કલાકો બાદ જ છે પાકિસ્તાને યુદ્ધ વિરામ કરી સરહદ ઉપર ના પાક હરકત શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગર સહિત કેટલાક સરહદી જિલ્લાઓમાં પાકિસ્તાની ડ્રોન ઝોમ જોવા મળ્યા હતા. જોકે ભારતીય સેના તોડી પાડે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સુરક્ષાના કારણોસર ગુજરાત રાજસ્થાન પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં આજે પણ રાત્રિના સમયે બ્લેક આઉટ પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત ભારતીય સુરક્ષા જવાનો ચાંપતી નજર રાખી રહ્યા છે. સરકાર પણ સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે દિલ્હીમાં આજે દિવસ દરમિયાન પરિસ્થિતિને લઈને બેઠકોનો દોર ચાલ્યો હતો અને રાતના પણ અધિકારીઓથી બેઠક મળી હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.