પહેલગામ હુમલો 'બર્બર અને નિર્દય': રજનીકાંત
મુંબઈઃ પહેલગામ આતંકવાદી હુમલાને "બર્બર અને નિર્દય" ગણાવતા, લોકપ્રિય અભિનેતા રજનીકાંતે ગુરુવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક યોદ્ધા છે જે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ લાવશે. 'વેવ્સ' સમિટના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, અભિનેતાએ કહ્યું કે, ઘણા લોકોએ તેમને કહ્યું હતું કે, સરકાર "બિનજરૂરી ટીકા" ને કારણે ચાર દિવસીય કાર્યક્રમ મુલતવી રાખી શકે છે કારણ કે તે મનોરંજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
રજનીકાંતે કહ્યું, "વડાપ્રધાન મોદી એક યોદ્ધા છે. તેઓ કોઈપણ પડકારનો સામનો કરશે. તેમણે તે સાબિત કર્યું છે અને આપણે છેલ્લા દાયકાથી તે જોઈ રહ્યા છીએ." અભિનેતા (૭૪) એ કહ્યું કે વડા પ્રધાન કાશ્મીરની પરિસ્થિતિને "બહાદુરી અને સૌજન્યથી" સંભાળશે. રજનીકાંતે કહ્યું, "(તેઓ) કાશ્મીરમાં શાંતિ અને આપણા દેશને ગૌરવ અપાવશે. હું અહીં આવીને ખૂબ જ ખુશ છું અને 'વેવ્સ' મોમેન્ટનો ભાગ બનવાનો મને વિશેષાધિકાર છે. કેન્દ્ર સરકારને મારા હૃદયપૂર્વક અભિનંદન."
વેવ્ઝ ફિલ્મો, OTT (ઓવર ધ ટોપ), ગેમિંગ, કોમિક્સ, ડિજિટલ મીડિયા, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), AVGC-XR (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ - એક્સટેન્ડેડ રિયાલિટી), બ્રોડકાસ્ટ અને ઉભરતી ટેકનોલોજી માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે અને ભારતના મીડિયા અને મનોરંજન કૌશલ્યના વ્યાપક પ્રદર્શન તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરશે.
આ સમિટનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં 50 બિલિયન યુએસ ડોલરના બજારને ખોલવાનો અને વૈશ્વિક મનોરંજન અર્થતંત્રમાં ભારતની હાજરીને વિસ્તૃત કરવાનો છે. કાશ્મીરના પહેલગામના ઉપરના વિસ્તારોમાં થયેલા આતંકવાદી હુમલા પછી તરત જ આ પરિષદ યોજાઈ રહી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.