For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સ્થગિત

04:28 PM May 29, 2025 IST | revoi editor
કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સ્થગિત
Advertisement
  • ગુજરાત સરકારે આજે સાંજે મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો હતો
  • વહીવટી કારણોસર ઓપરેશન શીલ્ડ મોકૂફ રખાયું
  • મોકડ્રીલ માટે નવી તારીખ હવે પછી જાહેર થશે

ગાંધીનગરઃ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે બન્ને દેશો વચ્ચે સીઝ ફાયર બાદ હાલ સ્થિતિ અંકૂશમાં છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકારના આદેશથી આજે ગુરૂવારે સાંજના સમયે ગુજરાતમાં સિવિલ ડિફેન્સ દ્વારા 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ મોડી રાતે કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આજે ગુરુવારે મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવ્યુ છે, વહીવટી કારણોસર ઓપરેશન શીલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

Advertisement

ઓપરેશન સિંદૂર' બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે યોજાનાર મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવી છે. આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતભરમાં આજે તા. 29 મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શીલ્ડ” મોકડ્રિલ યોજાવાની હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે 5.00 કલાકે મોકડ્રિલનું આયોજન કરાયું હતું. આ અંગે તમામ કલેકટરોને સુચના પણ આપી દેવામાં આવી હતી. અને મોકડ્રીલની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પણ કોઈ કારણોસર આજે સાંજે યોજાનારી મોકડ્રીલ સ્થગિત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement