For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત

06:47 PM Mar 24, 2025 IST | revoi editor
હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત
Advertisement

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ સમયે મૃતક આ ઢગલા પાસે ઉભો હતો. આ મામલે ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને બ્લાસ્ટનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

Advertisement

કુશાઈગુડામાં વિસ્ફોટ દરમિયાન એક કચરો ઉપાડનારનું મોત થયું હતું. મૃતકનું નામ એસ નાગરાજુ છે. તે 37 વર્ષના હતા. પ્રાથમિક તપાસ બાદમાં પોલીસે જણાવ્યું હતું કે કચરામાં કેટલાક અજાણ્યા રસાયણો હોવાના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. પોલીસે એમ પણ કહ્યું કે ઘટના સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે.

ઘટના CCTVમાં કેદ
પોલીસના જણાવ્યા અનુસાર નેરેડમેટના રહેવાસી નાગરાજુ રોડ કિનારે એક ટ્રાન્સફોર્મર પાસે કચરો ભેગો કરી રહ્યા હતા. આ દરમિયાન એક વિસ્ફોટ થયો અને તે એટલો ભયંકર હતો કે નાગરાજુ કૂદીને દૂર પડી ગયો. તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Advertisement

આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સફાઈ કામદાર કચરાના ઢગલા પર કામ કરી રહ્યો છે. તે ટ્રેક્ટર સાથે જોડાયેલ ટ્રોલીમાં આ કચરો ફેંકતો જોવા મળે છે. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થાય છે. વિસ્ફોટમાં તમામ કચરો હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિસ્ફોટ થતાં જ આસપાસ હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બ્લાસ્ટ બાદ તરત જ ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને બોલાવી હતી. ત્યારથી પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.

Advertisement
Tags :
Advertisement