For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વ આરોગ્ય દિવસ પર નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સ્થૂળતા સામે લડવા કરી વિનંતી

12:21 PM Apr 07, 2025 IST | revoi editor
વિશ્વ આરોગ્ય દિવસ પર નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સ્થૂળતા સામે લડવા કરી વિનંતી
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ વિશ્વના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે અને લોકોના સુખાકારીના વિવિધ પાસાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. સારું સ્વાસ્થ્ય એ દરેક સમૃદ્ધ સમાજનો પાયો છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “વિશ્વ આરોગ્ય દિવસ પર, ચાલો આપણે સ્વસ્થ વિશ્વના નિર્માણ માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ. આપણી સરકાર આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે અને લોકોના સુખાકારીના વિવિધ પાસાઓમાં રોકાણ કરશે. સારું સ્વાસ્થ્ય એ દરેક સમૃદ્ધ સમાજનો પાયો છે!”

  • પ્રધાનમંત્રીએ ભારતમાં વધતા સ્થૂળતાના સંકટ પર ચિંતા વ્યક્ત કરી

X પ્લેટફોર્મ પર શેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, પ્રધાનમંત્રીએ ભારતમાં વધતા સ્થૂળતાના સંકટ પર ચિંતા વ્યક્ત કરી અને "આરોગ્યએ અંતિમ ભાગ્ય અને અંતિમ સંપત્તિ છે" એવી જૂની કહેવત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સારું સ્વાસ્થ્ય એક સારી દુનિયાનો માર્ગ મોકળો કરે છે.

Advertisement

  • 2050 સુધીમાં, 44 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાથી પીડાશે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "તમે બધા જાણો છો કે આજે આપણી જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની રહી છે. તાજેતરમાં સ્થૂળતાની સમસ્યા પર એક અહેવાલ આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાથી પીડાશે. આ આંકડો ભયાનક છે. આ કેટલું મોટું સંકટ હોઈ શકે છે?"

  • સ્વસ્થ ખાવાની આદતો અપનાવવી, એક સામાજિક જવાબદારી

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, આપણે હવેથી આવી પરિસ્થિતિ ટાળવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ. તેલનો ઉપયોગ ઓછો કરવા જેવી સ્વસ્થ ખાવાની આદતો અપનાવવી એ ફક્ત વ્યક્તિગત નિર્ણય નથી પણ સામાજિક જવાબદારી છે.

Advertisement
Tags :
Advertisement