હવે ભૂકંપ અને સુનામીને લઈને પહેલાથી એલર્ટ મળશે, શ્રીહરિકોટાથી NISAR લોન્ચ થયું
06:05 PM Jul 30, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારત અને સમગ્ર દુનિયા માટે ૩૦ જુલાઈનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. આજે નાસા અને ઈસરોના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.40 વાગ્યે થયું હતું, જેને ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટી છલાંગ તરીકે જોવામાં આવી રહી છે.
Advertisement
NISAR ને પૃથ્વી પર દેખરેખ રાખવા માટે એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. તે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી વિનાશક કુદરતી આફતોની સમયસર ચેતવણી આપવા માટે રચાયેલ છે. આ ઉપગ્રહને "પૃથ્વીનું MRI સ્કેનર" પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તે પૃથ્વીની સપાટીના એટલા સૂક્ષ્મ ચિત્રો લઈ શકે છે કે તે ફક્ત એક સેન્ટિમીટરના સ્તરે પણ ફેરફારોને કેદ કરી શકે છે.
Advertisement
Advertisement