For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બીજાપુરમાં સુરક્ષાદળોએ કુખ્યાત નક્સલવાદી નરસિંહચલમ ઠાર મરાયો

06:18 PM Jun 05, 2025 IST | revoi editor
બીજાપુરમાં સુરક્ષાદળોએ કુખ્યાત નક્સલવાદી નરસિંહચલમ ઠાર મરાયો
Advertisement

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ માઓવાદી સીસી સભ્ય નરસિંહચલમ ઉર્ફે ગૌતમ ઉર્ફે સુધાકરને ઠાર માર્યો છે, જેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરસિંહચલમ મૂળ આંધ્રપ્રદેશના ચિંતાપલુડીનો રહેવાસી છે. તે નક્સલી સંગઠનમાં શિક્ષણ વિભાગનું કામ સંભાળતો હતો. સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો મળી આવ્યા હોવાના સમાચાર છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં નક્સલીઓના મોટા કેડરની હાજરી અંગે મજબૂત માહિતીના આધારે સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને ઓપરેશન પર મોકલવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન આજે સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ હતી. બંને બાજુથી થઈ રહેલા અથડામણમાં સૈનિકોએ એક નક્સલીને ઠાર માર્યો હોવાના અને સ્વચાલિત હથિયારો મળી આવ્યા હોવાના સમાચાર છે.

બીજાપુરમાં આજે સવારથી જ અથડામણ ચાલી રહી છે. ઘટનાસ્થળેથી એક સ્વચાલિત હથિયાર મળી આવ્યું છે. અથડામણમાં માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. ડીઆરજી, કોબ્રા અને એસટીએફના સૈનિકો નક્સલવાદ સામે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને માઓવાદીઓનો ખાત્મો કરી રહ્યા છે. બંને બાજુથી સમયાંતરે ગોળીબાર ચાલુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement