નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ
11:51 AM Aug 13, 2025 IST | revoi editor
Advertisement
સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે.
Advertisement
આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. નવસારીમાં 150થી વધુ પશ્ચિમ બંગાળના કારીગરો વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. તેઓ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને સારી એવી કમાણી કરે છે અને આત્મનિર્ભર બન્યા છે. તેમનું આ કૌશલ્ય સ્થાનિક કલા અને સંસ્કૃતિને પણ સમૃદ્ધ બનાવે છે.
Advertisement
Advertisement