For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાલાસોપારા: ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ

12:18 PM Aug 14, 2025 IST | revoi editor
નાલાસોપારા  ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ
Advertisement

મુંબઈઃ નાલાસોપારામાં સાઇઠ એકર સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે વસઈ-વિરાર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર, ટાઉન પ્લાનિંગના સસ્પેન્ડેડ ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ. રેડ્ડી, બિલ્ડર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

Advertisement

સંયુક્ત પૂછપરછ બાદ આરોપીઓને મુંબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આજે તેમને PMLA કોર્ટમાં રજૂ કરાશે. EDના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સાંઠગાંઠ કરીને શેલ કંપનીઓ અને બોગસ પ્રમાણપત્રોના નેટવર્ક દ્વારા જાહેર જમીનને ખાનગી રિયલ એસ્ટેટમાં રૂપાંતરિત કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement