For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 85 ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ કરાયુ

01:49 PM Jun 01, 2025 IST | revoi editor
ગુજરાતમાં 85 ટકાથી વધારે nfsa રેશનકાર્ડ ધારકોનું e kyc પૂર્ણ કરાયુ
Advertisement
  • સાચા રેશનકાર્ડ ધારકોને અનાજનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ
  • રેશનકાર્ડ ધારકોને ઘરે બેઠાMy ration app દ્વારા e-KYCની સુવિધા ઉપલબ્ધ
  • બાકી રહી ગયેલા કાર્ડધારકોને સત્વરે e-KYC કરાવી લેવા સરકારની અપીલ

ગાંઘીનગરઃ રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ e-KYC એ એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટેનું ક્રાંતિકારી પગલું છે. રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા સતત પ્રયત્નશીલ છે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Advertisement

વધુમાં સાચા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ-NFSA કાર્ડ ધારકોએ e-KYC કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં આ અંતર્ગત રાજ્યમાં 85 ટકા કરતા પણ વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના સાચા NFSA રેશનકાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે e-KYC કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી e-KYCની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NFSA રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર અનાજના જથ્થાનું સમયસર વિતરણ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, કાર્ડ ધારકો હવે ઘરે બેઠા My ration app ઉપરાંત નજીકની મામલતદાર કચેરી/ ઝોનલ કચેરી કે ગ્રામપંચાયતમાં જઈને પણ સત્વરે e-KYC કરાવી શકે છે તેમ, યાદીમાં જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement