હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સંચાર સાથી મારફતે અત્યાર સુધીથી ખોવાયેલા-ચોરાયેલા 7 લાખથી વધુ ફોન રિકવર કરાયાં

11:06 AM Nov 26, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ દૂરસંચાર વિભાગની પહેલ સંચાર સાથીએ ઑક્ટોબર 2025માં 50,000થી વધુ ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ હેન્ડસેટ રિકવર કરીને ડિજિટલ સુરક્ષામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક અને તેલંગાણા ટોચના પરફોર્મર બન્યા છે અને કુલ રિકવરી આંકડો 7 લાખને પાર કરી ગયો છે, જે આ પ્લેટફોર્મની વધતી કાર્યક્ષમતા દર્શાવે છે. આ સ્વદેશી પ્લેટફોર્મ ઓટોમેટેડ ટ્રેસેબિલિટી દ્વારા ચોરી થયેલા ડિવાઇસના દુરુપયોગને રોકે છે અને નાગરિકોને ફ્રોડ કોલ્સ રિપોર્ટ કરવા તેમજ નવા ડિવાઇસની પ્રામાણિકતા તપાસવા સક્ષમ બનાવે છે.

Advertisement

સંચાર મંત્રાલય તરફથી મંગળવારે આપવામાં આવેલી જાણકારી અનુસાર, દૂરસંચાર વિભાગની ડિજિટલ સેફ્ટી પહેલ સંચાર સાથીએ ભારતમાં 50,000થી વધુ ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ હેન્ડસેટ પાછા મેળવવામાં એક મોટી સફળતા હાંસલ કરી છે. આ સફળતા કેન્દ્રની નાગરિકોના ડિજિટલ એસેટ્સ અને ટેકનોલોજી-સંચાલિત ગવર્નન્સમાં જાહેર વિશ્વાસને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત, દેશભરમાં કુલ મળીને રિકવરીનો આંકડો 7 લાખને પણ પાર થઈ ગયો છે.

અધિકારીક નિવેદન અનુસાર, કર્ણાટક અને તેલંગાણા ટોચના પર્ફોર્મર તરીકે ઉભર્યા છે, જ્યાં બંને રાજ્યોમાં 1-1 લાખથી વધુ ડિવાઇસની રિકવરી કરવામાં આવી છે. આ યાદીમાં મહારાષ્ટ્ર 80,000 રિકવરી સાથે બીજું સ્થાન જાળવી રાખે છે. કેન્દ્ર અનુસાર, જૂનથી ઓક્ટોબર, 2025 સુધી માસિક રિકવરીમાં 47 ટકાનો વધારો થયો છે, જે આ સિસ્ટમની વધતી કાર્યક્ષમતા અને પહોંચ દર્શાવે છે. આ સિસ્ટમની મદદથી દેશભરમાં દર મિનિટે એકથી વધુ હેન્ડસેટ રિકવર થઈ રહ્યા છે.

Advertisement

માસિક રિકવરીને લઈને જાહેર કરાયેલા ચાર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ વર્ષે જૂનમાં 34,339 હેન્ડસેટ રિકવર કરવામાં આવ્યા હતા, જે ઓગસ્ટમાં 45,243 અને ઓક્ટોબરમાં 50,534 હેન્ડસેટ થઈ ગયો.

આ સિદ્ધિના મૂળમાં એક મજબૂત અને સ્વદેશી રૂપથી વિકસિત પ્લેટફોર્મ છે, જે ઓટોમેટેડ વર્કફ્લો અને રિયલ-ટાઇમ ડિવાઇસ ટ્રેસેબિલિટીને એકીકૃત કરે છે. સંચાર સાથીની એડવાન્સ ટેકનોલોજી બ્લોક કરેલા ડિવાઇસના દુરુપયોગને રોકે છે. જ્યારે કોઈ રિપોર્ટ કરેલા હેન્ડસેટમાં સિમ નાખવામાં આવે છે, તો સિસ્ટમ રજિસ્ટર્ડ યુઝર અને સંબંધિત પોલીસ સ્ટેશન, બંનેને એલર્ટ મોકલે છે, જેનાથી ઝડપી અને વધુ કાર્યક્ષમ રિકવરી શક્ય બને છે.

કેન્દ્ર અનુસાર, દૂરસંચાર વિભાગે નાગરિકોને‘સંચાર સાથી’ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી છે જેથી તેઓ ન માત્ર પોતાના ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ ડિવાઇસની રિપોર્ટ કરી શકે અને તેમને બ્લોક કરી શકે, પરંતુ જે નવા-જૂના ડિવાઇસ ખરીદવાનો ઇરાદો ધરાવે છે, તેની પ્રમાણિકતાની પણ તપાસ કરી શકે. નાગરિકો આ એપ દ્વારા ફ્રોડ કોલ્સ અને મેસેજને પણ રિપોર્ટ કરી શકે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCommunicationGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharLost-StolenMajor NEWSMore than 7 lakh phonesMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsrecoveredSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article