For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

UPIથી 3000થી વધુના ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવાશે

04:20 PM Jun 11, 2025 IST | revoi editor
upiથી 3000થી વધુના ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવાશે
Advertisement

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ પેમેન્ટ વધ્યું છે. બીજી તરફ સરકાર UPI દ્વારા 3000 રૂપિયાથી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની યોજના બનાવી રહી છે. સરકાર દ્વારા આ પગલું બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓને તકનીકી અને સંચાલન ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યું છે. બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓએ સતત કહ્યું છે કે મોટા ડિજિટલ વ્યવહારોનો ખર્ચ વધી રહ્યો છે. દેશની અંદર ડિજિટલ રિટેલ વ્યવહારોમાં UPIનો હિસ્સો 80% છે. વર્ષ 2020 થી અત્યાર સુધી, UPI વેપારી વ્યવહારોનું કદ વધીને 60 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. પરંતુ જાન્યુઆરી 2020 થી લાગુ કરાયેલ શૂન્ય MDR નીતિને કારણે, આ ક્ષેત્રમાં રોકાણનો અભાવ છે. મોટા વ્યવહારોમાં સેવા પ્રદાતાઓનો ખર્ચ ઘણો વધી ગયો છે.

Advertisement

રિપોર્ટ અનુસાર, નાના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પરંતુ 3,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર MDR ફી વસૂલવામાં આવી શકે છે. આ ફી વ્યવહાર પર આધારિત હશે, એટલે કે, તમે કરેલા વ્યવહારની રકમ અનુસાર MDR વસૂલવામાં આવશે. તેનો વેપારીના વ્યવસાય સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ મોટા વેપારીઓ માટે 0.3% MDR સૂચવ્યું છે. હાલમાં, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 0.9% થી 2% MDR છે, પરંતુ RuPay કાર્ડને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement