હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગિરનારમાં મેઘમહેર: દામોદર કુંડ છલકાયો

11:09 AM Jul 21, 2025 IST | revoi editor
Advertisement

રાજકોટઃ ગરવા ગઢ ગિરનારની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સારો વરસાદ વરસતાં ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.

Advertisement

ભારે વરસાદના પગલે દામોદર કુંડ છલકાઈ ગયો છે, અને તેની સાથે જ સોનરખ નદી ગાંડીતૂર બની વહેતી જોવા મળી રહી છે. દામોદર કુંડ છલકાતા મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્યનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા.

ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને, વાઘેશ્વરી મંદિર નજીક પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડી હતી.

Advertisement

જૂનાગઢ શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જ્યાં મોટા ખાડા પડ્યા છે ત્યાં બેરિકેડ્સ મૂકીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ પણ સતત ખડેપગે રહીને પ્રશંસનીય કામગીરી કરી રહી છે, જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન પડે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article