For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાયું

11:33 AM Jul 12, 2025 IST | revoi editor
મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાયું
Advertisement

નવી દિલ્હીઃ ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આ સિદ્ધિ હાંસલ કરનાર દેશનું 44મું મુખ્ય સ્થળ બન્યું છે. પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્ર દરમિયાન ગઈકાલે સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ લોકોને અભિનંદન આપ્યા હતા. આ વૈશ્વિક સન્માન ભારતના કાયમી સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરે છે, જે તેની સ્થાપત્ય, પ્રાદેશિક ઓળખ અને ઐતિહાસિક સાતત્યને પણ પ્રતિબિંબિત કરે છે.17મી સદીથી 19મી સદી સુધી ફેલાયેલા મરાઠા લશ્કરી લેન્ડસ્કેપમાં બાર કિલ્લાઓનો સમાવેશ થાય છે જે મરાઠા સામ્રાજ્યના વ્યૂહાત્મક લશ્કરી દ્રષ્ટિકોણ અને સ્થાપત્યને વ્યક્ત કરે છે.

Advertisement

મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ફેલાયેલા પસંદ કરેલા સ્થળોમાં મહારાષ્ટ્રમાં સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ તેમજ તમિલનાડુમાં ગિન્ગી કિલ્લોનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement