હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પેટની વધતી ચરબીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આહારમાં કરો એટલો ફેરફાર

11:59 PM May 31, 2025 IST | revoi editor
Advertisement

પેટની ચરબી વધવાની સમસ્યા આજકાલ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા છે. પેટની ચરબી માત્ર તમારી પર્સનાલિટીને જ બગાડે છે એવું નથી, પરંતુ તે ઘણા રોગોનું મૂળ પણ છે. પેટની ચરબી ઘટાડવા અને વજન ઘટાડવા માટે લોકો જીમમાં જાય છે અને ડાયેટિંગ કરે છે, પરંતુ લાંબા સમય બાદ પણ કોઈ ખાસ ફાયદો થતો નથી. જો તમે હંમેશા ફિટ રહેવા માંગતા હોવ અને તમારી કમરની સાઈઝ ઓછી કરવા માંગતા હોવ તો, તમારે તમારી લાઈફ સ્ટાઈલ સ્વસ્થ બનાવવી પડશે. તમારે શક્ય તેટલો હળવો ઘરે બનાવેલો ખોરાક ખાવો જોઈએ જેમાં ઓછામાં ઓછી કેલરી અને ચરબી હોય. અને તેલ, મસાલા, મેદા અને ખાંડથી ભરપૂર ખોરાકથી દૂર રહેવું જરુરી છે.

Advertisement

તમારા આહારમાં શક્ય તેટલા શાકભાજી, ફળો, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો અને સૂકા ફળો અને બીજને સામેલ કરવા જોઈએ.શરીરમાં ડિહાઇડ્રેશનની અસર વજન ઘટાડવા પણ અસર કરે છે, તેથી પુષ્કળ પાણી પીવો. આ ઉપરાંત નારિયેળ પાણી, લીંબુ પાણી, શાકભાજીનો રસ અને ડિટોક્સ પીણાંનું પણ સેવન કરવું જોઈએ. એટલે કે, સ્વાસ્થ્ય અને વજન ઘટાડવા માટે ઊંઘ અને તણાવનો સામનો કરવો પણ જરુરી છે. કમરને પાતળી બનાવવા માટે જીમમાં જવા ઉપરાંત ઝડપી ચાલવું, જોગિંગ, સાયકલિંગ અને યોગ જેવી સરળ કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisement
Advertisement
Tags :
changedietGaining FatGet RidproblemStomach
Advertisement
Next Article