મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે
12:43 PM Nov 23, 2024 IST 
                    | 
                            revoi editor
                
                 
    
                
                
     
            
    
             
             
            
        
    
    
     
            
         
        
    
    
    
        
        
         
    
      
    
                 Advertisement 
                
 
            
        મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી શકયતા છે.
                 Advertisement 
                
 
            
        મહારાષ્ટ્રમાં હાલ ભાજપા 127 બેઠકો ઉપર આગળ છે. જ્યારે શિવસેના (શિંદે) 55, એનસીપી (અજીત પવાર) 35 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 20, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 16, એનસીપી (શરદ પવાર) 13 બેઠકો ઉપર આગળ છે. ભાજપાનો સ્ટ્રાઈક રેટ 84 ટકા, એનસીપી (અજીત પવાર) 62 ટકા, શિવસેના (શિંદે) 71 ટકા, કોંગ્રેસનો 19 ટકા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 21 ટકા અને એનસીપી (શરદ પવાર)નો 12 ટકા જેટલો હોવાનું જાણવા મળે છે.
                 Advertisement 
                
 
            
        
                 Advertisement 
                
  
 
            
         Next Article   
         
 
            