For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લો બોલો, ઉત્તરપ્રદેશના આ ગામમાં પ્રવેશ પહેલા પ્રવાસીએ પોલીસને કરી પડે છે જાણ, કારણ જાણીને ચોંકી જશો

08:00 PM Jun 24, 2025 IST | revoi editor
લો બોલો  ઉત્તરપ્રદેશના આ ગામમાં પ્રવેશ પહેલા પ્રવાસીએ પોલીસને કરી પડે છે જાણ  કારણ જાણીને ચોંકી જશો
Advertisement

ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના બરસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથિયા ગામના લોકોને 'તતલુ' કહેવામાં આવે છે. આ ગામમાં પ્રવેશતા પહેલા બહારના લોકોએ પોલીસની પરવાનગી લેવી પડે છે. વાત થોડી વિચિત્ર લાગે છે, પરંતુ કારણ જાણીને તમે ચોંકી જશે. ખરેખર, મામલો એવો છે કે હાથિયા ગામના લોકો બહારના લોકોને અલગ અલગ રીતે છેતરે છે. પોલીસે આ ગામની બહાર એક બોર્ડ લગાવ્યું છે. તે બોર્ડમાં લખ્યું છે કે જો તમે પોલીસની પરવાનગી વિના આ ગામમાં જાઓ છો, તો તમે તમારા મહેનતના પૈસા ગુમાવી શકો છો અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

Advertisement

જો સ્થાનિક પોલીસનું માનીએ તો, આ ગામના લોકો ફક્ત મથુરામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લોકોને પોતાનો શિકાર બનાવે છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોની પોલીસ વારંવાર દરોડા પાડવા માટે અહીં આવતી રહે છે. ઘણી વખત ગ્રામજનોની અન્ય સ્થળોની પોલીસ સાથે પણ અથડામણ થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગામના લોકો બહારના લોકોને સરળતાથી પોતાની જાળમાં ફસાવે છે. તેઓ પિત્તળની ઇંટોને સોનાની ઇંટો કહીને વેચે છે. અહીંના લોકો બીજી જગ્યાએ જઈને જાહેરાત કરે છે કે અમારી જગ્યાએ સોનાની ઇંટો મળી આવી છે. અમે પોલીસના ડરથી તેને વેચવા નીકળ્યા છીએ. લોકો તેમની જાળમાં ફસાઈને સોનાની ઇંટો ખરીદે છે. આ લોકો પહેલા સોનાની તપાસ કરવા માટે શુદ્ધ સોનાનો એક નાનો ટુકડો આપે છે. ત્યારબાદ, તેઓ પિત્તળની ઇંટોને સોનાની ઇંટો કહીને વેચે છે. હાથિયાના લોકો સામાન્ય રીતે નહીં પણ અલગ અલગ રીતે લોકોને છેતરે છે. અહીંના લોકો સામે ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આજે પણ ગામમાં છેતરપિંડી ચાલુ છે.

Advertisement

પોલીસનું કહેવું છે કે ગામલોકોની હરકતોને કારણે, તેમને ગામની બહાર ચેતવણી બોર્ડ લગાવવું પડ્યું, પરંતુ તેમ છતાં તેઓ સુધરતા નથી.

Advertisement
Tags :
Advertisement