હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કેરલામાં ભારે વરસાદને કારણે જીવન ખોરવાયું, ચાર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર 

10:51 AM Oct 21, 2025 IST | revoi editor
Advertisement

કેરલાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધીએ સામાન્ય જનજીવન ઠપ કરી દીધું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ઝાડો પડવા અને વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. હવામાન વિભાગે ચાર જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ તથા બાકી વિસ્તારોમાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યુ છે. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. કેરલાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.અનેક જગ્યાએ પાણી ભરાવા, ઝાડો ઉખડવા અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

દક્ષિણ તિરુવનંતપુરમ, ઉત્તર કોજિકોડ, કન્નુર અને ત્રિશૂર જિલ્લાના ઉંચાણવાળા વિસ્તારોમાં આખો દિવસ ભારે વરસાદ અને ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા. આશરે એક કલાક ચાલેલા વરસાદ પછી તિરુવનંતપુરમ-તેન્કાસી રોડ અને પલોડેની એલાવટ્ટમ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

કન્નુર જિલ્લામાં પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા. ભારે વરસાદને કારણે એક ઘર પર દિવાલ ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી મળી છે.

Advertisement

ત્રિશૂરના મલા અને એર્નાકુલમના એલંજી વિસ્તારોમાં આકાશીય વીજળી પડવાથી ઘરોને નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને ઇલેક્ટ્રોનિક સાધનો બગડી ગયા છે. ત્રિશૂરના પલ્લીપુરમ વિસ્તારમાં એક ઘર પર ઝાડ પડવાથી એક પરિવાર ચમત્કારિક રીતે બચી ગયો.

ભારત હવામાન વિભાગ (IMD)એ એર્નાકુલમ, ઇડુકી, મલપ્પુરમ અને કોજિકોડ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યો છે, જ્યાં ખૂબ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બાકી જિલ્લાઓમાં ‘યેલો એલર્ટ’ જાહેર છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ભૂસ્ખલન, માટી ખસકવાની અને અચાનક પૂર આવવાની શક્યતાઓ ધરાવતા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના આપી છે.

નદીઓના કાંઠા અને ડેમની નીચેના વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થાનોમાં ખસવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે. IMD અનુસાર, ‘ઓરેન્જ એલર્ટ’નો અર્થ છે — 11 થી 20 સેમી વરસાદ, જ્યારે ‘યેલો એલર્ટ’નો અર્થ છે — 6 થી 11 સેમી વરસાદ.

Advertisement
Advertisement
Next Article