વર્ષ 2023 માટે કચ્છી ભાષાના 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' અને 'યુવા ગૌરવ પુરસ્કાર'ની જાહેરાત કરાઈ
અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલી સમિતિમાં વર્ષ 2023 માટે વિશ્રામ ગઢવીને કચ્છી ભાષાનો 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' અને ડૉ. પૂર્વી ગોસ્વામીની કચ્છી ભાષાનો 'યુવા ગૌરવ પુરસ્કાર' માટેના નામોની પસંદગી કરવામાં આવી છે, જેમને આગામી સમયમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલેખનીય છે કે, રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમી સહિત હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી એમ કુલ 6 અકાદમીઓ કાર્યરત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે. રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ સ્થાિપિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે આ અકાદમીઓ કાર્ય કરે છે.