For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે શું કહ્યું કેન્દ્ર સરકારે જાણો....

02:43 PM Aug 13, 2025 IST | revoi editor
ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે શું કહ્યું કેન્દ્ર સરકારે જાણો
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે લોકસભામાં જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારનો કોઈ કાયદો બનાવવાની હાલ યોજના નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં બઘેલે આ માહિતી આપી હતી. લેખિત જવાબમાં, બઘેલે જણાવ્યું હતું કે બંધારણની કલમ 246 (3) અનુસાર, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓના વિતરણ હેઠળ, પ્રાણીઓનું રક્ષણ એ એક એવો વિષય છે જેના પર રાજ્ય વિધાનસભાને કાયદા બનાવવાની વિશેષ સત્તા છે.

Advertisement

મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ડિસેમ્બર 2014 થી રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવી રહી છે જેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગાયોના સંવર્ધન, સંરક્ષણ અને ઉછેર માટે લેવામાં આવેલી પહેલને સમર્થન અને મજબૂત બનાવી શકાય. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ડિસેમ્બર 2014 થી રાષ્ટ્રીય ગોકુલ મિશનનો અમલ કરી રહી છે જેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગાયોના સંવર્ધન, સંરક્ષણ અને ઉછેર માટે લેવામાં આવેલી પહેલને સમર્થન અને મજબૂત બનાવી શકાય. 2024 માં, દેશના કુલ 239.30 મિલિયન ટન દૂધ ઉત્પાદનમાં ગાયના દૂધનો ફાળો ૫૩.૧૨ ટકા હતો, જ્યારે ભેંસના દૂધનો ફાળો ૪૩.૬૨ ટકા હતો.

સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર ન કરી શકે તેની પાછળ બંધારણીય કારણો છે. બંધારણના અનુચ્છેદ ૨૪૬ (૩) મુજબ, કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. પ્રાણીઓનું રક્ષણ અને ઉછેર એ રાજ્ય યાદીનો વિષય છે. આનો અર્થ એ છે કે આ અંગે કાયદા બનાવવાનો અધિકાર ફક્ત રાજ્ય વિધાનસભાઓને છે, કેન્દ્ર સરકારને નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement