For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ખેડાઃ રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બચાવાયાં

01:25 PM Aug 02, 2025 IST | revoi editor
ખેડાઃ રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બચાવાયાં
Advertisement

અમદાવાદઃ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના ડાકનિયા તળાવમાં પાણી ભરાતા ૫૦ કપિરાજ બાવળના ઝાડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા હતા જેની જાણ ગ્રામજનોને થતા વાંસની સીડી બનાવી ત્રણ દિવસની જહેમત બાદ કપિરાજોને તળાવમાંથી બહાર કઢાયા હતા. મહેમદાવાદ તાલુકામાં ૫ દિવસ પહેલા ૯ ઇંચ વરસાદ પડયો હતો ત્યારે રૂદણ ગામના ડાકનિયા તળાવમાં જળસ્તરનો વધારો થયો હતો. પાણી વધતા તળાવના મધ્યમાં આવેલા બાવળના ઝાડ પર ૫૦ જેટલા કપિરાજ ફસાયા હતા. તળાવની ચારે બાજુ પાણી ભરાઈ જતા બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.

Advertisement

તેની જાણ ગ્રામજનોને થતા છેલ્લાં પાંચ દિવસથી ફસાયેલા કપિરાજોને વાંસની સીડી બનાવી ત્રણ દિવસની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement