ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આજે દેશભરમાં ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં તેને આનંદ અને ઉત્સાહનો તહેવાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણનું જીવન અને સંદેશ આત્મવિકાસ અને આત્મસાક્ષાત્કારને પ્રેરણા આપે છે.
તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણે માનવતાને ધર્મના માર્ગ પર ચાલીને પરમ સત્ય પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપ્યું હતું. તેમણે ભગવાન કૃષ્ણના ઉપદેશોનું પાલન કરવા અને સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.