For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મળ્યાં આધુનિક હથિયારો

03:07 PM May 14, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરઃ શોપિયામાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મળ્યાં આધુનિક હથિયારો
Advertisement

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના શુકરુ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. મંગળવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના શુકરુ જંગલ વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આજે થયેલી કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

Advertisement

સરહદ પર ગોળીબાર બંધ થતાં જ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કરી દીધું હતું. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે સવારે 8 વાગ્યે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શાહિદ કુટ્ટે અને અદનાન શફી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્રીજા આતંકવાદીની ઓળખ મુરાન (પુલવામા)ના રહેવાસી અહેસાન-ઉલ હક શેખ તરીકે થઈ છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આમાં AK 47 રાઇફલ્સ, મેગેઝિન, ગ્રેનેડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સવારે શોપિયા જિલ્લાના શુકરુ કેલર વિસ્તારના જંગલોમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સેનાની 20 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને CRPFના જવાનો એક્શનમાં આવી ગયા હતા.

Advertisement

તાત્કાલિક ઘેરાબંધી અને શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘેરાબંધી કડક થતી જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો હતો. આ સાથે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. બેની ઓળખ શાહિદ કુટ્ટે અને અદનાન શફી તરીકે થઈ છે. ત્રીજા વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે.

દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં મંગળવારે સવારે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી શાહિદ કુટ્ટે શોપિયાનના છોટીપોરા હિરપોરા વિસ્તારનો રહેવાસી હતો. કુટ્ટે માર્ચ 2023 માં લશ્કર-એ-તૈયબામાં જોડાયો. તે લશ્કરનો A-કેટેગરી આતંકવાદી અને સંગઠનનો ટોચનો કમાન્ડર હતો. કુટ્ટે અનેક આતંકવાદી ઘટનાઓ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. 8 એપ્રિલ, 2024 ના રોજ, દાનિશ રિસોર્ટ ગોળીબારમાં સામેલ હતો. આ આતંકવાદી હુમલામાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા. કુટ્ટે 18 મે, 2024ના રોજ હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં પણ સામેલ હતો. 3 ફેબ્રુઆરી, 2025ના રોજ કુલગામના બિહીબાગમાં ટીએ (ટેરિટોરિયલ આર્મી) જવાનની હત્યામાં પણ તેની સંડોવણી હોવાની શંકા હતી.

Advertisement
Tags :
Advertisement