હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જમ્મુ-કાશ્મીરઃ સરહદ ઉપર પાકિસ્તાની ઘુસણખોરને ભારતીય સેનાએ ઠાર માર્યો

03:12 PM Apr 05, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. આ ઘટના રાત્રે બની હતી. બીએસએફએ જણાવ્યું હતું કે સૈનિકોએ સમયસર કાર્યવાહી કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં અબ્દુલિયન પોસ્ટ પાસે બની હતી. જ્યારે સૈનિકો રાત્રે સરહદ પર નજર રાખી રહ્યા હતા, ત્યારે તેમણે એક વ્યક્તિને સરહદ પાર કરતો જોયો. તેને રોકવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે અટક્યો નહીં અને આગળ વધતો રહ્યો. પરિસ્થિતિ ગંભીર હોવાથી સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં ઘુસણખોર માર્યો ગયો હતો. હાલમાં તેની ઓળખ અને ઇરાદાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ, BSF એ પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. બીએસએફએ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહી માટે લઈ ગયો હતો.

Advertisement

બીએસએફએ કહ્યું છે કે તેના સૈનિકો સરહદ પર સંપૂર્ણપણે સતર્ક છે અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને સફળ થવા દેશે નહીં. BSF જમ્મુના PRO એ જણાવ્યું હતું કે, "4 અને 5 એપ્રિલ 2025 ની રાત્રે, BSF જવાનોએ જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક શંકાસ્પદ વ્યક્તિને સરહદ પાર કરતા જોયો. જવાનોએ તેને રોકવા કહ્યું, પરંતુ તે અટક્યો નહીં અને આગળ વધતો રહ્યો. ભય જોઈને, BSF જવાનોએ તેને ગોળી મારી દીધી. ઘુસણખોર માર્યો ગયો હતો. તેની ઓળખ અને તેના આવવાનો હેતુ જાણવાની કામગીરી ચાલી રહી છે."

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article