For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં સરકારી કચેરીઓમાં બીનજરૂરી પંખા, લાઈટ બંધ રાખવા સુચન કરાયું,

05:44 PM Jun 09, 2025 IST | revoi editor
રાજ્યમાં સરકારી કચેરીઓમાં બીનજરૂરી પંખા  લાઈટ બંધ રાખવા સુચન કરાયું
Advertisement
  • વીજળીની બચત કરવાના સૂચન કરતા 3,500 પોસ્ટર્સ લગાવાયા,
  • કોમ્પ્યુટરનું કામ ન હોય ત્યારે તેને સંપૂર્ણ બંધ કરવા સુચના,
  • લિફ્ટનો ઉપયોગ ટાળી પગથીયાના વધુ ઉપયોગ કરવા અપીલ

ગાંધીનગરઃ પાટનગરમાં વિવિધ સરકારી કચેરીઓમાં વીજળીનો આડેધડ વપરાશ ટાળવા અને વીજ બિલમાં બચત સાથે ઉર્જા બચતને પ્રોત્સાહન આપવા માટે વિદ્યુત શાખા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જુના અને નવા સચિવાલય, ઉદ્યોગ ભવન સહિત સ્થાનિક કચેરીઓમાં વીજળીની બચત કરવા કર્મચારીઓને સૂચન કરતા 3,500 પોસ્ટર્સ લગાડવામાં આવ્યાં છે. બીન જરૂરી પંખા, લાઈટ્સ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

પાટનગરમાં સરકારી કર્મચારીઓને વીજળી બચત માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારી કચેરીઓમાં સીડીના પગથિયામાં લગાડવામાં આવેલા પોસ્ટરમાં સીડીનો ઉપયોગ કરતા લોકોને કેલેરી બર્ન કરવાનો ઉતમ પ્રયાસ કરવાનો આ રસ્તો અપનાવવા બદલ ધન્યવાદ કહેવામાં આવ્યા છે. વીજ બચત એ જ વીજ ઉત્પાદ્દનના મથાળા ધરાવતા પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે, કે કોમ્પ્યુટરનું કામ ન હોય ત્યારે તેને સંપૂર્ણ બંધ કરવા, જરૂરિયાત ન હોય ત્યારે લાઇટ અને પંખા બંધ રાખવા, લિફ્ટનો ઉપયોગ ટાળીને પગથીયાના વધુ ઉપયોગ કરવા, અધિકારી, કર્મચારીઓ હાજર ન હોય ત્યારે એસી બંધ રાખવા, સભાખંડમાં પણ મિટીંગ ન હોય ત્યારે એસી ચાલુ નહી રાખવા વોટર કુલર સવારે 9 વાગ્યાથી જ ચાલુ કરીને સાંજે 6 કલાકે બંધ કરી દેવા સહિતની વીજ બચત થાય તેના માટે પ્રેરણા આપતા લખાણ કરવામાં આવેલા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,  સરકારી કચેરીઓ ખુલવાની સાથે તમામ લાઇટ અને પંખા ચાલુ કરી દેવામાં આવતા હોય છે. અધિકારી હાજર ન હોય તો પણ તેની ચેમ્બરમાં એસી અને કોમ્પ્યુટર ચાલુ રાખવામાં આવતા હોય છે. આવી સ્થિતિના કારણે વીજળીનો ઉપયોગ નહીં પરંતુ વેડફાટ થતો રહેતો હોય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement