ઇઝરાયલે ગાઝામાં બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ કરાર માટેના ટ્રમ્પના પ્રસ્તાવને સ્વિકાર્યો
નવી દિલ્હીઃ ઈઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સારાએ ક્રોએશિયામાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, ઇઝરાયલે ગાઝામાં બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ કરાર માટેના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના પ્રસ્તાવને "હા" કહી દીધી છે.
સારએ કહ્યું, "ગાઝામાં યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે. અમે કેબિનેટના નિર્ણયના આધારે યુદ્ધ સમાપ્ત કરવાના કરારને સ્વીકારવા તૈયાર છીએ." તેમણે વધુમાં કહ્યું કે ઇઝરાયલી સરકાર પાસે યુદ્ધ સમાપ્ત કરવા માટે બે શરતો છે - પ્રથમ, બધા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને બીજું, હમાસે તેના શસ્ત્રો મૂકવું જોઈએ.
હમાસને "પેલેસ્ટિનિયનો અને પ્રદેશ માટે સમસ્યા" ગણાવતા તેમણે કહ્યું કે તેનું નિઃશસ્ત્રીકરણ "ગાઝાવાસીઓ અને ત્યાં રહેતા પેલેસ્ટિનિયનો માટે વધુ સારા ભવિષ્યની ખાતરી આપે છે." ઇઝરાયલી મીડિયા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે હજુ સુધી આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી નથી, જોકે કેટલીક કથિત વિગતો પ્રેસમાં લીક થઈ છે, જેમાં પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં રાખવામાં આવેલા તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને ઇઝરાયલ દ્વારા લડાઈ ફરી શરૂ ન કરવા માટે કરારનો સમાવેશ થાય છે.
રવિવારે ઈઝરાયલના ચેનલ 12 ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે નવા પ્રસ્તાવ હેઠળ, ગાઝામાંથી ઇઝરાયલનું પીછેહઠ ધીમે ધીમે થશે, પરંતુ મોટે ભાગે યુદ્ધવિરામની શરૂઆતમાં. નેટવર્ક અનુસાર, વાટાઘાટકારો પાસે હમાસના નિઃશસ્ત્રીકરણ, ઇઝરાયલના પીછેહઠની વિશિષ્ટતાઓ અને ગાઝા માટે વૈકલ્પિક સરકાર પર સંમત થવા માટે 60 દિવસ અથવા તેટલો સમય હશે.
સાર એ લેબનીઝ સરકારના હિઝબુલ્લાહ આતંકવાદી જૂથને નિઃશસ્ત્ર કરવાના કેબિનેટના નિર્ણયની પણ પ્રશંસા કરી અને તેને "લેબનોન અને સમગ્ર પ્રદેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ" ગણાવ્યું. સાર એ કહ્યું, "ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનોએ ઘણું સહન કર્યું છે. જ્યાં સુધી આ જૂથો દેશમાં હાજર છે, જ્યાં સુધી હમાસ સત્તામાં છે, ત્યાં સુધી બંને પક્ષોના દુઃખનો અંત આવશે નહીં.