હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના

12:42 PM Jun 17, 2025 IST | revoi editor
Advertisement

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે ઈરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. રાષ્ટ્રપતિએ તેહરાનના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યોજના નથી અને ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ ઊર્જા અને સંશોધન પર કેન્દ્રિત છે, જે રાષ્ટ્રનાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના સામૂહિક વિનાશના શસ્ત્રો સામે લાંબા સમયથી ચાલતા ધાર્મિક આદેશ સાથે સુસંગત છે.

Advertisement

પરમાણુ અપ્રસાર સંધિએ પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવા, પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરમાણુ નિઃશસ્ત્રીકરણની સુવિધા માટે એક સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય સંધિ છે. સંધિમાંથી ઈરાન નીકળશે તો મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોની સ્પર્ધાના વૈશ્વિક ભયને વધુ મજબૂત બને. દરમિયાન, ઈરાને આજે ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસાદ માટે જાસૂસી કરવા બદલ દોષિત ઇસ્માઇલ ફેકરીને ભગવાન સામે યુદ્ધ છેડવા સહિતના આરોપોમાં ફાંસી આપી હતી. છેલ્લા ચાર દિવસમાં આ સંઘર્ષમાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 અને ઇઝરાયેલમાં 24 લોકોના મોત થયા છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samachariranLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNuclear Non-Proliferation TreatyPlanPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article