For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બેદરકારીથી વાહન હંકારનાર મૃતક ચાલકના પરિવારને વીમા કંપની વળતર નહીં ચુકવે!

03:09 PM Jul 03, 2025 IST | revoi editor
બેદરકારીથી  વાહન હંકારનાર મૃતક ચાલકના પરિવારને વીમા કંપની વળતર નહીં ચુકવે
Advertisement

નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિનું બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુ થાય છે, તો વીમા કંપનીઓની તેના પરિવારને વળતર આપવાની જવાબદારી રહેતી નથી. તેમજ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે મૃતકના પરિવારની 80 લાખ રૂપિયાના વળતરની માંગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે પણ મૃતકના પરિવારની વળતરની માંગણી ફગાવી દીધી હતી.

Advertisement

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહીં કરીએ, તેથી ખાસ અરજી ફગાવી દેવામાં આવે છે. 18 જૂન, 2014 ના રોજ, એનએસ રવિશા મલ્લાસન્દ્રા ગામથી અરાસિકેરે શહેર જઈ રહ્યા હતા. કારમાં તેમના પિતા, બહેન અને બહેનના બાળકો પણ હતા. સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું કે રવિશાએ બેદરકારીપૂર્વક ખૂબ જ ઝડપે વાહન ચલાવ્યું હતું અને ટ્રાફિક નિયમોનું પણ પાલન કર્યું ન હતું. જેના કારણે કાર રસ્તા પર પલટી ગઈ. અકસ્માતમાં રવિશાને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે આ અકસ્માત થયો હતો. આવા કિસ્સામાં, મૃતકના વારસદારો વળતરનો દાવો કરી શકતા નથી. હાઇકોર્ટે કહ્યું કે એવું થશે કે આપણે કોઈને તેની ભૂલ માટે વળતર આપી રહ્યા છીએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement