ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થશેઃ નીતિન ગડકરી
12:42 PM Aug 09, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થઈ જશે. નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં બોલતા, નીતિન ગડકરીએ આ ઘટાડાને દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર સુધારાને આભારી ગણાવ્યો.
Advertisement
મંત્રીએ નોંધ્યું કે લોજિસ્ટિક્સ ખર્ચમાં આ ઘટાડો દેશના નિકાસ ક્ષેત્રને મોટો વેગ આપશે, જેનાથી નિકાસમાં 1.5 ગણો વધારો થવાની સંભાવના છે. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેમણે નોંધ્યું કે આ ક્ષેત્રનો વિકાસ GDPમાં નોંધપાત્ર યોગદાન આપશે.
Advertisement
Advertisement