For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે

01:20 PM Apr 19, 2025 IST | revoi editor
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી.

Advertisement

જીતેન્દ્ર સિંહે લખ્યું- ભારત તેની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ વ્યક્તિ અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. આ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી.

આ મિશનમાં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. નાસા અને ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે.

Advertisement

શુભાંશુ સાથે વધુ ત્રણ અવકાશયાત્રીઓ જશે એક્સિઓમ 4 મિશનના ક્રૂમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના સભ્યોનો સમાવેશ થાય છે. 1978 પછી સ્લાવોજ ઉઝનાન્સ્કી પોલેન્ડના અવકાશમાં જનારા બીજા અવકાશયાત્રી બનશે. 1980 પછી ટિબોર કાપુ અવકાશમાં જનારા બીજા હંગેરિયન અવકાશયાત્રી બનશે. અમેરિકન પેગી વ્હિટસનનું આ બીજું કોમર્શિયલ હ્યુમન અવકાશ ઉડાન મિશન છે.

Advertisement
Tags :
Advertisement