For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ-21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન

04:03 PM Sep 06, 2025 IST | revoi editor
ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ 21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન
Advertisement

નવી દિલ્હીઃ  ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું અને ગૌરવશાળી લડાકુ વિમાન મિગ-21 બાયસન હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આવતી 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેસ પરથી આ વિમાન તેની અંતિમ ઉડાન ભરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વાયુસેનાએ વિશેષ આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિદાય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ વાયુસેનાના અનેક નિવૃત્ત પાઇલટ્સ હાજર રહેશે.

Advertisement

મિગ-21ને વિદાય આપવા તેને ખાસ 1960ના દાયકાની શૈલીમાં ઉડાડવામાં આવશે. પાઇલટ્સ દ્વારા બેસ એર ડિફેન્સ સેન્ટર (BADC) ની કોમ્બેટ ડ્રિલનું પુનરાવર્તન કરવામાં આવશે. જેમાં મિગ-21 આકાશમાં ગશ્ત કરશે અને ગ્રાઉન્ડ કન્ટ્રોલમાંથી મળતા સંદેશાઓના આધારે દુશ્મન વિમાનને રોકવાની ઝાંખી રજૂ કરશે. આ દ્રશ્ય મિગ-21ના સુવર્ણ યુગની યાદોને તાજી કરશે.

ફ્લાયપાસ્ટ દરમિયાન મિગ-21ને વિદાય આપવા માટે તેને સ્વદેશી એલસીએ તેજસ લડાકુ વિમાન એસ્કોર્ટ કરશે. બંને વિમાન વિંગ ફોર્મેશનમાં ઉડીને મુખ્ય મહેમાનો સમક્ષ પહોંચશે. ત્યારબાદ મિગ-21 અંતિમવાર ઊંચાઈએ ઉડીને આકાશને વિદાય આપશે. સમારોહ દરમિયાન પાઇલટ તેમના સ્ક્વોડ્રનનું પ્રતીક સ્વરૂપ ચાવી રક્ષામંત્રીને સોંપશે.

Advertisement

હાલ ભારતીય વાયુસેના 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે ફક્ત 31 સ્ક્વોડ્રન પર કાર્યરત છે. મિગ-21ની બે સ્ક્વોડ્રન દૂર થવાથી આ સંખ્યા ઘટીને 29 થશે, જે અત્યાર સુધીની સૌથી ઓછી હશે. આ ખામી પૂર્ણ કરવા માટે એલસીએ તેજસ માર્ક-1એને સક્રિય કરવામાં આવશે.

મિગ-21 બાયસનની નંબર 3 સ્ક્વોડ્રન કોબરા અને નંબર 23 સ્ક્વોડ્રન પૅન્થર્સની નંબર પ્લેટિંગ થવાની છે. હવે આ સ્ક્વોડ્રનની પરંપરા તેજસ સાથે જોડાશે. ખાસ વાત એ છે કે મિગ-21ને બાયસનમાં અપગ્રેડ કરવાની શરૂઆત પણ નંબર 3 સ્ક્વોડ્રનથી થઈ હતી અને હવે તેજસ માર્ક-1એ સૌથી પહેલા આ જ સ્ક્વોડ્રનમાં સામેલ થવાનું છે.

Advertisement
Tags :
Advertisement