For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત ક્યારેય પણ કોઈ વેપાર સમજૂતીને ઉતાવળમાં અંતિમ સ્વરૂપ નહીં આપેઃ પીયૂષ ગોયલ

05:36 PM Sep 02, 2025 IST | revoi editor
ભારત ક્યારેય પણ કોઈ વેપાર સમજૂતીને ઉતાવળમાં અંતિમ સ્વરૂપ નહીં આપેઃ પીયૂષ ગોયલ
Advertisement

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે હાલ ટ્રેડ ડીલ (દ્વિપક્ષીય વેપાર સમજૂતી)ને લઈને ખેંચતાણ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ (શુલ્ક) લગાવી દીધું છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોયલએ સ્પષ્ટ કહ્યું કે,  ભારતના વેપાર વાર્તાલાપો ફક્ત ન્યાયીતા અને મજબૂત આધાર પર આધારિત હોય છે, કોઈ સમયમર્યાદાના દબાણમાં નહીં. તેમણે ઉમેર્યું કે ભારત ક્યારેય પણ કોઈ વેપાર સમજૂતીને ઉતાવળમાં અંતિમ સ્વરૂપ નહીં આપે. “અમે ક્યારેય વેપાર સમજૂતીને સમયમર્યાદામાં બાંધતા નથી. અમારું લક્ષ્ય એ છે કે સમજૂતી સારી હોય અને બંને દેશો માટે લાભકારી સાબિત થાય. ભારત હંમેશા સમાનતા અને ન્યાયીતા પર આધારિત કરાર માટે તૈયાર છે.”

Advertisement

કેન્દ્રિય પ્રધાનએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતીને લઈને સક્રિય ચર્ચાઓ ચાલી રહી છે. માર્ચથી અત્યાર સુધીમાં પાંચ ચરણની બેઠકો થઈ ચૂકી છે. પરંતુ 27 ઑગસ્ટથી અમેરિકન સરકારે ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લગાવ્યા બાદ, 25 ઑગસ્ટે થનારી છઠ્ઠી બેઠક મુલતવી રાખવામાં આવી છે. હજી સુધી આગામી બેઠકની તારીખ નક્કી કરવામાં આવી નથી. પીયૂષ ગોયલએ મંગળવારે (2 સપ્ટેમ્બર) યોજાયેલી 20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટમાં જણાવ્યું કે ભારત નવનિર્મિત ઊર્જા ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત આજે 24 કલાક સ્વચ્છ ઊર્જા માત્ર ₹4.60થી ₹5 પ્રતિ યુનિટ (લગભગ 5 સેન્ટ)ના દરે ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જે વિશ્વમાં સૌથી સસ્તી છે. તેમણે યાદ અપાવ્યું કે, 2014 પહેલાં દેશના ઘણા વિસ્તારોમાં વીજળી બહુ મોંઘી મળતી હતી. કેટલાક રાજ્યોમાં લોકો 12થી 13 રૂપિયા પ્રતિ યુનિટ સુધી ચૂકવતા હતા. પરંતુ રાષ્ટ્રીય ગ્રીડ બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે દક્ષિણ ભારત જેવા વિસ્તારોમાં પણ વીજળી ચાર ગણાં સસ્તા દરે મળી રહી છે.

Advertisement

કેન્દ્રિય પ્રધાનએ જણાવ્યું કે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં નવનિર્મિત ઊર્જા ક્ષેત્રે રેકોર્ડ પ્રગતિ થઈ છે. સોલાર એનર્જી માટેનો પ્રારંભિક લક્ષ્યાંક 20 ગીગાવોટ રાખવામાં આવ્યો હતો, જેને વધારીને 100 ગીગાવોટ કરવામાં આવ્યો અને સમયસર પૂર્ણ પણ કરવામાં આવ્યો. પારદર્શક હરાજી અને સ્પર્ધાના કારણે સોલાર ઊર્જાના ભાવ ₹7–8 પ્રતિ યુનિટમાંથી ઘટીને માત્ર ₹2 પ્રતિ યુનિટ સુધી આવી ગયા છે.

Advertisement
Tags :
Advertisement