વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલી
10:53 AM Nov 05, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હી: વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી છે. આજે નવી દિલ્હીથી જમૈકા અને ક્યુબાને અંદાજે 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલવામાં આવી.
Advertisement
એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનો આરોગ્ય મૈત્રી ભીષ્મ ક્યુબ, પુનર્વસન સહાયક વસ્તુઓ, ખોરાક અને દૈનિક ઉપયોગિતાઓ, દવાઓ, તબીબી ઉપકરણો, પાવર જનરેટર, આશ્રય સહાય અને સ્વચ્છતા કીટ સહિતની સહાય સાથે રવાના થયા. તેમણે ઉમેર્યું હતું કે આવી કુદરતી આફતોનો સામનો કરવા માટે ભારત તેના ગ્લોબલ સાઉથ ભાગીદારો સાથે ઉભું છે.
Advertisement
Advertisement