For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત-ચીન વિદેશ સચિવ સ્તરની વાટાઘાટોમાં, વાણિજ્યિક અને નાગરિક ઉડાન મુદ્દે ચર્ચા કરાઈ

03:06 PM Jun 13, 2025 IST | revoi editor
ભારત ચીન વિદેશ સચિવ સ્તરની વાટાઘાટોમાં  વાણિજ્યિક અને નાગરિક ઉડાન મુદ્દે ચર્ચા કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ ચીનના નાયબ વિદેશ પ્રધાન સન વેઈડોંગ ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન નાગરિક ઉડાન ફરી શરૂ કરવા, હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવા અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન, બંને પક્ષોએ 27 જાન્યુઆરી 2025 ના રોજ બેઇજિંગમાં યોજાયેલી છેલ્લી બેઠક પછી દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી. બંને દેશો સંમત થયા કે સંબંધોમાં સ્થિરતા લાવવી જોઈએ અને લોકો-કેન્દ્રિત પહેલ દ્વારા વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

Advertisement

વિદેશ સચિવે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં ચીનના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. એપ્રિલ 2025 ની ટ્રાન્સ-બોર્ડર રિવર કોઓપરેશન મીટિંગનો ઉલ્લેખ કરતા, તેમણે આશા વ્યક્ત કરી કે હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવા અને અન્ય વિષયો પર ટૂંક સમયમાં પ્રગતિ થશે. 
બંને પક્ષો ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા સંમત થયા. વિદેશ સચિવે હવાઈ સેવા કરારને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા અને મીડિયા અને થિંક ટેન્ક વચ્ચે સંવાદ વધારવા પર પણ સંમતિ સધાઈ.

ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ અંતર્ગત પ્રસ્તાવિત કાર્યક્રમોની પણ સકારાત્મક સમીક્ષા કરવામાં આવી. બંને પક્ષોએ તેમને સફળ બનાવવાનો સંકલ્પ કર્યો. આર્થિક અને વેપાર ક્ષેત્રોને લગતા ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વ્યાપારિક સંવાદો આગળ વધારવા પર પણ સંમતિ સધાઈ. આ બેઠક સૌહાર્દપૂર્ણ રહી અને સંબંધોને આગળ વધારવા તરફ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement