For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી

12:04 PM Dec 07, 2025 IST | revoi editor
ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી
Advertisement

નવી દિલ્હી: ભારત અને અમેરિકાએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે.ત્રીજી ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં 21મા ભારત-અમેરિકા સંયુક્ત કાર્યકારી જૂથ આતંકવાદ વિરોધી અને 7મા સંવાદમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર, ક્વાડ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

Advertisement

આ બેઠકોમાં ભારતમાં તાજેતરના આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તેમના ગુનેગારોને કડક સજા થવી જોઈએ. બંને પક્ષોએ ISIS, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો વધારવાની હાકલ કરી હતી. તેમણે આ સંગઠનોને ટેકો આપતી અને ભંડોળ આપતી વ્યક્તિઓ અને જૂથો સામે કડક કાર્યવાહી કરવાની પણ હાકલ કરી હતી. બેઠકોમાં બંને દેશો વચ્ચે વધતા સહકારની પણ નોંધ લેવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement