ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો
01:08 PM Jun 29, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હી: ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતે વંચિત વસ્તી સુધી પહોંચવા માટે સક્રિય અને સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે.
Advertisement
Advertisement
Next Article